એના વચન જો તૂં લોપીશ રે, મન સુખ તો નહીં પામીશ રે ૫/૬

 

એના વચન જો તૂં લોપીશ રે, મન સુખ તો નહીં પામીશ રે, 
હરિ છે સમર્થ અતિ મોટા રે, એના વચન કર્યમાં તૂં ખોટા રે...
તારે એનું સુખ જો જોઇએ રે, તો તો આજ્ઞામાં રહેવું જોઇએ રે, 
મન ફાવે તેમ રહેવું તારે રે, કયાંથી સુખ આપે પ્રભુ પ્યારે રે...
વચન લોપતા ફડકી જાવું રે, એ જ ઘડીએ સાવધાન થાવું રે, 
બીવું હરિથી તારે રાત-દિન રે, રહેવું અતિ અતિ આધિન રે...
જ્ઞાનજીવન સુખીયા થાવા રે, દેવા નહીં વચનો લોપાવા રે, 
પ્રભુ સમર્થ અતિ દયાળુ રે, કરશે જીવન તારૂ સુખાળું રે...

મૂળ પદ

સુખ દુઃખનું કારણ મન રે, એમ કહે છે મોટા સંતજન રે,

મળતા રાગ

સંત બોલે તે ભેળો હું બોલું રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી