Logo image

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર,
	નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાલે રાજ	...ટેક.
અવનિ પર આવી વહાલે સત્સંગ સ્થાપ્યો,
	હરિજનને કોલ કલ્યાણનો આપ્યો રાજ		...અક્ષર૦ ૧
પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ,
	હરિજન સંગે કીધી સાચી સગાઈઓ રાજ		...અક્ષર૦ ૨
બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે,
	પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ		...અક્ષર૦ ૩
દેવના દેવ વહાલો ધામના ધામી,
	પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ		...અક્ષર૦ ૪
પ્રેમાનંદનો વહાલો આનંદકારી,
	પોતાના જનની વાલે લાજ વધારી રાજ		...અક્ષર૦ ૫

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
નિત્ય નિયમ,સાયં પ્રાર્થના
વિવેચન:
રહસ્યઃ- કવિએ પ્રગટપ્રભુના અવતરણનો હેતુ અને પ્રવર્તાવેલી અનુપમ રીતનો ચિતાર આબેહૂબ આપ્યો છે. એક્તાનો ભાવ અને વચનમાં ટેકની મહત્તા સહજમાં વર્તાય છે. પ્રભુનું પ્રાગટ્ય કવિને અદ્ભુત લાગ્યું છે. પ્રસ્તુત પદનો રાગ-ઢાળ સુગેય છે. લોકભોગ્ય છે. તાલ કહરવા છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- એક વખત ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લીંબુતરુ નીચે સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં શ્રીહરિ સંતો-ભક્તોને સંબોધીને વાત કરી રહ્યા હતા કે, ‘સંતો ! અમે આ લોકમાં કદી આવ્યા નથી અને આવશું પણ નહીં. પરંતુ આ વખતે અમે જે અવતાર ધારણ કર્યો છે, એ કાંઈક વિશેષ અલૌલિક અવતાર છે. આ પૃથ્વી ઉપર ઈશ્વરોના અનેક અવતારો અવતર્યા છે, અને મોક્ષની રીતો સૌએ પોતપોતાની રીતે પ્રવર્તાવી છે. પરંતુ મુમુક્ષુના હૃદયમાં આદિ અનાદિ કાળથી વાસ કરીને વસેલી વાસનાનો નાશ કરીને અર્થાત્ કારણ શરીરનો ભાવ ટાળીને કલ્યાણ કરે એવી રીત કોઈએ પ્રવર્તાવી નથી એવી રીત તો આ વેળા અમે જ પ્રવર્તાવી છે. આમ, જ્યાં શ્રીહરિ વાત કરે છે. ત્યાં સદ્ગુરુમુક્તાનંદસ્વામી સુરત સત્સંગ વિચરણ કરી, તે સભામાં પધારે છે. એટલે શ્રીહરિએ ખૂબ જ આનંદથી સ્વામીનો આદર સત્કાર કરી પોતાની બાજુમાં બેસવા આસન પથરાવ્યુ. તે ઉપર સ્વામીને બેસાડી સુરતના સર્વ સમાચાર પૂછવા લાગ્યા. સમાચાર આપતાં મુક્તમુનિએ કહ્યું કે. ‘મહારાજ! આપના પ્રતાપે અને આપના સંબંધે અનેક મુમુક્ષુ નર-નારીઓ ચુસ્ત ધર્મ-નિયમ પાળતાં થયાં છે. મહારાજ ! અનેક ભક્તોએ વ્યસનો તો છોડ્યાં છે, પણ ઘણા ભક્તો તો વિષયને પણ છોડતા થયા છે. પરસ્ત્રી મા-બેન સમાન માનનાર થયા છે. અને પરધનને વિષ્ટા તરીકે દેખે છે. મહારાજ ! એક વિશેષ વાત કહુ ?’ ‘હા, સ્વામી કહોને.’ મહારાજે કહ્યું. “પ્રભુ! આ કારમા દુષ્કાળમાં આ બાજુના અનેક માનવો સુરતમાં કપરો કાળ પસાર કરવા આવ્યા હતા. એમાં લોયા નાગડકાના ભક્તરાજ ઘેલા કોળી પોતાના ધર્મપત્ની સાથે સુરત આવતા હતા. તેવામાં નિર્જન રસ્તામાં પડેલો પગનો સોનાનો તોડો જોઈ આગળ ચાલી રહેલા ઘેલા ભક્તે પાછળ આવી રહેલા પોતાના ધર્મપત્નીની વૃત્તિ બગડે નહીં તે માટે પેલા સોનાના તોડા ઉપર ધૂળ વાળી દીધી. આ જોઈ પત્નીએ કહ્યું કે, ‘પતિદેવ! પારકા સોનાને તમે સોના તરીકે જોયું ને! મારે મન તો આપણને જે દિ’થી સ્વામીનારાયણ ભગવાન મળ્યા છે તે દિ’થી પારકું દ્રવ્ય તો વિષ્ટા સમાન થઈ ગયું છે. માટે લાવો પતિદેવ ! તમારા પગ ધોવા પડશે.’ એમ કહી તેમણે ઘેલા ભક્તના પગ ધોયા. મહારાજ ! આ બધો પ્રતાપ આપનો જ છે, આપના સંબંધે અનેક મુમુક્ષુઓ મુક્ત સ્થિતિને પામ્યા છે. એટલે જ જુઓને કોળી જેવી જ્ઞાતિમાં જન્મેલ વળી, ભયંકર દુષ્કાળ અને એકાંત સ્થળ- આમ ત્રિવેણી સંયોગ થવા છતાં પારકા દ્રવ્યમાં લેવાયા નહીં. એ કેટલી ઉચ્ચ સ્થિતિ કહેવાય?” મુક્તાનંદસ્વામી પાસેથી ઘેલા ભક્તની વાત સાંભળી શ્રીહરિએ કહ્યું કે, ” સ્વામી ! તમે આવ્યા પહેલા આ સંતોને હું એ જ કહી રહ્યો હતો કે પૃથ્વી પર અમે પ્રગટ થઈ આત્યંતિક મોક્ષની અદ્ભુત રીત પ્રવર્તાવી છે. અમારા સંતો તો અષ્ટપ્રકારના સ્ત્રીધનના ત્યાગી છે, પરંતુ આવી નીચી જ્ઞાતિનાં નર-નારીઓ પણ આજ અમારા અંગે નિર્વાસનિક થયા છે. પંચવર્તમાન પાળતા થયા છે. સ્વામી ! આજે તમે ખૂબ સારા સમાચાર આપ્યા. માટે આશીર્વાદ આપું છું કે આજથી અમારું કે અમારા સાધુનું કે આવા સત્સંગીનાં જે કોઈ દર્શન કરે, એને જમાડે એનું જમે, એના ગોળાનું પાણી પીએ કે એના ગુણ લ્યે એનું પણ આત્યંતિક કલ્યાણ થશે.” આમ વાત કરી રહેલા શ્રીહરિને ધ્યાનથી સાંભળી રહેલા પેમાનંદસ્વામી આ વાતને કીર્તનમાં કંડારતા ગયા. તે જાણી અંતર્યામી પ્રભુએ પ્રેમસખીએ રચેલા કીર્તન ગાવાની આજ્ઞા કરી. પરંતુ પ્રેમાનંદ સ્વામી ઘણી શરમાળ પ્રકૃતિના હોવાથી મુંઝાયેલ અંતરને વાચા ફૂટી અને તે સમે શ્રીહરિએ જે વાત કરી તે વાતને કીર્તન સ્વરૂપે ગાવા લાગ્યા આ છે એ ઘેલા ભક્તના પ્રસંગની પ્રસાદી.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલાલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪
www.swaminarayankirtan.org © 2025