Logo image

બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન

બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન;
	મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન	...૧
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
	સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત	...૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
	સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ	...૩
અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;
	શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય	...૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
	દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર		...૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
	સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન	...૬
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
	મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય	...૭
એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નરનારી;
	મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી	...૮
હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
	પ્રેમાનંદનો રે, વાલો વરસ્યા અમૃત મેહ		...૯
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
સંબોધન, બોલ્યા શ્રી હરી રે, પ્રેમાનંદ સ્વામી (વિષે), નિત્ય નિયમ,સાયં પ્રાર્થના
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
નિમ્ન કક્ષા
વિવેચન:
ભાવાર્થઃ- સ્વયં શ્રીહરિ દરેક ભક્તજનને સાવધાન કરી પોતાની અતિ રહસ્યની, અગત્યની એક વાર્તા કરવામાં તત્પરતા બતાવે છે. II૧II મારી મૂર્તિ, મારું ધામ, એ ધામના ઉપયોગમાં આવતા સર્વભોગ અને ધામના સંગી સર્વ મુક્ત વિશુદ્ધ બ્રહ્મરૂપ અને મનુષ્યાકારે હોવા છતા દિવ્ય છે. પરંતુ સત્પુરુષ પાસેથી યુક્તિ શીખ્યા વિના તેને જોઈ કે અનુભવી શકાતા નથી. અદ્વિતીય આત્મસાક્ષાત્કારને પામેલા તત્વજ્ઞ ગુરુની દ્રષ્ટિ લીધા વિના ધામ-ધામી નયન ગોચર હોવા છતાં અગોચર અને અપ્રાપ્ય રહે છે. II૨II નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તે મારું ધામ છે. અમૃતના વિશેષણથી અક્ષરના નામનો નિર્દેશ કરે છે. અમૃત દ્વિઅર્થી શબ્દ છે. અ + મૃત =’અમૃત’ એટલે કે જેનું મ્રુત્યુ નહીં કહેતા જેનો ક્ષય નથી. અર્થાત્ જે તત્વ ક્ષરભાવને પામતું નથી તેવા તત્વને પણ અમૃત કહેવાય છે. ‘न क्षरति इति अक्षर’ અક્ષર પોતે તો કદી ક્ષર ભાવને પામતું જ નથી. પરંતુ ક્ષર તત્વનો સંયોગ કરનાર સર્વપદાર્થ માત્ર અમર બની જાય છે. જેમ અમૃત કદી વિષથી પરાભવ પામતું નથી તેમ અક્ષરામૃતનું પાન કરનાર પામર પણ પંચવિષયોરૂપ વિષથી પરાભવને પામતો નથી. એટલે અહીં શ્રીહરિએ અક્ષરને અમૃતની ઉપમા આપી છે. વળી અક્ષર સર્વ, સામર્થી, દિવ્ય શક્તિ તથા દિવ્ય અને માનુષી કલ્યાણકારી ગુણેયુક્ત અને પુરુષોત્તમના આનંદેયુક્ત રહી એકકળાવચ્છિન્ને સર્વને પ્રત્યક્ષ કરનાર છે. મુક્તોને શુદ્ધ કરી ધામીનું મિલન કરાવનાર છે વળી, દિવ્યગુણોએ અતિ તેજોમય છે. જેના તેજની આગળ કોટિ સૂર્ય-ચંદ્રનું તેજ શા હિસાબમાં! અતિ તેજોમય હોવા છતાં મનુષ્યરૂપ અક્ષરનું ગુણમય તેજ શીતળ છે, શાંત છે. આનંદમય છે. અને મુક્તને ઉપાસના કરવા યોગ્ય છે . છતાં, તે અનુપમ છે. II૩-૪II “स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्“ ‘ભગવત્ સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તો પણ મોટા ભય થકી રક્ષાને કરે છે.’ એવા મનુષ્યરૂપ અક્ષરમાં હું દિવ્ય છતાં દ્વિભુજપણે સદા સાકાર સ્વરૂપે વિચરું છું તો પણ દેવોને દુર્લભ છું, કારણ પરમ ગુરુના પરમાશ્રય વિના મારા મહિમાના પારને કોઈ પામી શક્તું નથી કારણ કે એ સ્વતઃ સિદ્ધ છે. નિર્ગુણ છે. ચોવીસ તત્વાત્મક બ્રહ્માંડને પણ ચૈતન્ય કરી સર્વ ક્રિયા કરવાનું સામર્થ્ય આપનાર છે. અન્વયપણે વર્તી જડને ચૈતન્ય અને ચૈતન્યને જડ કરવામાં શક્તિમાન છે. છતા પ્રકૃતિ પુરુષથી પર છે. “निरंजन: परमं साम्यमुपैति” માયાનાં અંજનથી કહેતા માયાના આવરણ રહિત છે. વળી, ઉપાસક પરમાત્માની ઉપાસના કરવાથી પરમ સામ્ય અર્થાત્ તુલ્યભાવને પામે છે. એ બ્રહ્મમુક્તોની સભામાં સ્વતંત્ર છે. જ્યારે પુરુષોત્તમની આગળ પરતંત્રપણે વર્તે છે. વળી, મુણ્ડક ઉપનિષદમાં કહ્યું છે કે “ तपसा चीयते ब्रह्म” બ્રહ્મ પોતે પોતાના અસાધારણ વિજ્ઞાનથી સૃષ્ટિ કરવામાં ઉન્મુખ થાય છે. અર્થાત્ ‘ सः ऐक्षत ‘ એમ બ્રહ્મનું માયા સામું ઈક્ષણ થવાથી સર્ગ થાય છે. ભક્તો આવું મારું પારલૌલિક પરમ શ્રેષ્ઠ ધામ તેમા હું સદાય રહું છું, તે ધામની દ્રષ્ટિથી જ મને પામી શકાય છે. II૫II હવે શ્રીહરિ પોતે, પોતાની શક્તિનું વર્ણન કરતાં કહે છે કે જીવ, ઈશ્વર, માયા, કાળ પ્રધાન પુરુષ અને અક્ષર સહિત હું સર્વનો નિયંતા છું. સહુને મારા પરવશપણામાં રાખું છું. વળી, એ સહુનો પ્રેરક એવો હું સર્વોપરી ભગવાન છું. મારી ઈચ્છાથી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, પાલન અને લય થાય છે. મારી મરજી ન હોય તો કોઈથી સૂકું તરણું પણ તોડી શકાતું નથી. સમસ્ત ચેતન-અચેતન શરીરનો હું શરીરી છું. જ્ઞાન, શક્તિ, બળ ઐશ્વર્ય, વીર્ય, અને તેજ એ આદિક અનેક કલ્યાણકારી શક્તિઓથી હું સભર છું. માટે હે મમ્‍ આશ્રિત ભક્તજનો ! આવી રીતે મને સર્વ અવતારનો અવતારી સર્વોપરી ભગવાન સમજજો. અતિ કરુણા કરી, મેં મારી અને મારા સ્વરૂપની સત્ય વાર્તા તમારી આગળ કહી છે. તેને ભક્તબુદ્ધિથી સમજજો. મેં તો કેવળ તમારા માટે જ મારા ધામ થકી દેહ ધર્યો છે. ભક્તો ! હું ક્રિયાસાધ્ય નથી. કૃપાસાધ્ય છું. આ પદમાં સ્વયં શ્રીહરિએ જ ધામધામીનું સ્વરૂપ પ્રકાશ્યું જાણી પ્રેમાનંદસ્વામી કહે છે કે આજ તો મારો વ્હાલો અમ્રુતના મેહરૂપ વરસ્યા તે વરસ્યા જ છે. અઢળક ઢળ્યા છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- પ્રસ્તુત કીર્તનની ઉત્પત્તિના ઈતિહાસમાં આપણે જાણ્યું તેમ હવે પછીના નિમ્નલિખિત બે પદો ખુદ શ્રીજી મહારાજે જ રચેલા છે. જેથી આ પદોની વાસ્તવિક્તા અને વિશેષતા વધુ મહત્વપૂર્ણ ગણાય છે. અષ્ટનંદ સંતો રચિત લાખો પદો જોવા મળે છે. પરંતુ ખુદ શ્રીજી મહારાજ રચિત આ બે પદો જ જોવા મળે છે. સંપ્રદાયમાં આ બે પદોને “પ્રસાદીના પદો” માનવામાં આવે છે. કારણ કે ગદ્યાત્મક શાસ્ત્રોમાં જેમ શિક્ષાપત્રી શ્રીજીનું હસ્તલિખિત શાસ્ત્ર ગણાય છે, તેમ પદ્યાત્મક શાસ્ત્રોમાં આ બે પદો શ્રીજીએ જ રચેલા છે. તેથી પ્રગટ ઉપાસી ભક્તોને મતે અતિ મહત્વનાં અને અતિ પ્રસાદીના ગણાય છે. તો કીર્તન ભક્તિના પ્યાસી ભક્તોને વિનંતી કે આ બે પદોને રોજ ગાવાં અને સાંભળવાં એટલે પરમકૃપાળુ પરમાત્મા પ્રસન્ન થશે. વળી, ધામ-ધામીની વાત અને વર્ણન તેમ જ શ્રીજીનો પરમ સિદ્ધાંત શ્રીજીએ પોતે જ આ પદોમાં આલેખ્યો છે. તો વાંચકો ! વધુ સ્થિર થઈ ધ્યાનપૂર્વક આ પદોના રહસ્યને જાણવું જરૂરી ગણાય. માટે આવો, એ શ્રીજીની પ્રસાદીના આસ્વાદનો અનુભવ કરીએ.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલાલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫
www.swaminarayankirtan.org © 2025