ગોકુલથી ગિરિધર રે, મથુરા જઇ રહ્યા;૧/૯

વિરહનાં પદો *
૨૪૬૭ ૧/૯   પદ : ૧
 
ગોકુલથી ગિરિધર રે, મથુરા જઇ રહ્યા;કાગળ કોઇ નાવ્યો રે, બહુ દિન વીતી ગયા.        ૧
તેણે દાઝે રાધા રે , જળે બહુ અંતરમાં;બહાંરે સુખ નાવે રે, ન રહેવાયે મંદિરમાં.            ૨
વ્રેહડાની ઝાળે રે , લાગ્યુ તન બળવાને ;મનડું અકળાયે રે, કે મોહન મળવાને .             ૩
વાલમ વીસર્યાની રે, પીડા નથી સેવાતી;તે દુઃખની મારી રે, ભરી આવે છાતી.               ૪
ચિત્તડામાં ચિતા રે, કે અંગ ઉતાપ ઘણો;હૈડામાં મોટો રે , તાપ વિયોગ તણો.                ૫
બ્રહ્માનંદ વ્રેહ દાઝે રે, રહી છે સીઝીને;પોતાનાં દુઃખની રે , વાતુ કહે બીજીને .               ૬ 

મૂળ પદ

ગોકુલથી ગિરિધર રે, મથુરા જઇ રહ્યા;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી