બીજા નિયમ સર્વે ઉર ધરવા જો, નિજ શક્તિ પ્રમાણે કરવા જો૪/૪

પદ ૧૦૩૧ મું. – રાગ ગરબી – પદ ૪/૪

બીજા નિયમ સર્વે ઉર ધરવા જો, નિજ શક્તિ પ્રમાણે કરવા જો. ૧

વ્રત એકાદશી નિત્ય નાહિયે જો, ઉપવાસ કરીને ગુણ ગાઇએ જો. ૨

હરિના જન્મ દિવસ વ્રત કીજીએ જો, કરી ઉત્સવ હરિ ઉર લીજીયે જો. ૩

દારૂ માટી ચોરી અવેરી ત્યાગીએ જો, જીવહિંસા થકી ડરી ભાગીએ જો. ૪

વર્ણશંકર કર્મ નવ કીજીએ જો, આત્મહત્યા થકી અતિ બ્હીજીએ જો. ૫

ભાંગ ગાંજા આદિક મેલી ફેલને જો, પ્રેમાનંદ કે' ભજીયે અલબેલને જો. ૬

મૂળ પદ

શિષ્ય સાંભળ એ વારતા અનુપ છે જો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી