અખિલ સંસારમાં જીવ કૈં અવતરે, ૧/૧

 ૬૦    ૧/૧  શ્રીજીપ્રતાપ-કાવ્યાષ્ટક,

 

                     || ઝુલાણા છંદ ||

              (૧)

અખિલ સંસારમાં જીવ કૈં અવતરે,

પુર્વના કર્મ સુખ દુ:ખ પાવે ||

કોટી ઉપાય જો કરે માનવી,

કર્મના લેખ મિથ્યા ન થાવે ||

પુરાતન કાળથી એમ સહુ ભાંખતા,

કર્મ, પુરષાર્થના કરી કજીઆ ||

(પણ) ભાવથી શ્રીહરિ સદા ભજીઆ ||

        (૨)

કઠણ હોય ગ્રહ દશા, કાળ પણ કઠણ હોય,

કઠણ હોય કર્મના લેખ અવળા ||

શ્રીજીના પ્રતાપે સંતના વચનથી,

સત્ય કવિ માવ કહે થાય સવળા ||

અન્ય ગાથા તજી મુજ તણી ઉચ્ચરૂં,

ત્રુટી આયુષથી કો ઉગારે ?    ||

(પણ) શ્રીજીના પ્રતાપે સંતનાં વચન તો,

કર્મની રેખ પર મેખ મારે      ||

        (૩)

જન્મ મહાપુરૂષના વચનથી જગતમાં,

કર્યો વ્હેવાર પણ સંત વચને   ||

અઠાવન વર્ષના મધ્યમાં આવતાં,

ત્રુટિ આયુષ્ય જ્યોતિષ વચને ||

વાત ફાગણ સુદી પંચમી ઘટ તણી,

લખી જનમોત્તરી લેખનારે     ||

શ્રીજીના પ્રતાપે સંતનાં વચન તો,

કર્મની રેખ પર મેખ મારે ||

        (૪)

વામ ભુજા મહીં વ્યાધી થઈ ‘વા’ તણીં,

દીવસ દસ ભોગવ્યા કષ્ટ કારી ||

સંતના વચનનું બળ બહુ દિલ વિષે,

શ્રીજી સર્વોપરી દીલ ધારી     ||

*”ષડક્ષર” મંત્રનો જાપતો જીગરથી,

“ભક્ત ચિંતામણી” પાથ ભારે ||

શ્રીજીના પ્રતાપે સંતનાં વચન તો,

કર્મની રેખ પર મેખ મારે      ||

        (૫)

સ્થાન સર્વોપરી શ્રીજીની ગાદીનું

તીર્થ ભદ્રાવતીને કીનારે ||

જેતપુર મંદીરે મહાપૂજા તણા,

અલૌકિક મંત્ર સંતો ઉચારે ||

કવિ પૂકારે ગુરૂદ્વાર જાણી કર્યો,

ગ્રાહ-ગજરાજ સમ વિપત વારે ||

હરિની કૃપા-હરિ કૃષ્નનાં વચન તો,

કર્મની રેખ પર મેખ મારે ||

(૬)

સંતના વચનથી શુકલ દ્વિતિયા દીનેં,

                વર્ષ પ્રતિ વર્ષ, ને માસ માસે ||

મહા પૂજા કરો માવ કવિરાજ તો,

                મનોરથ મન તણા સિદ્ધ થાસે ||

વચન શિર ધારીયું દેહ અવધી સુધી

                જાણ્યું શ્રીજી કહે સંત દ્વારે ||

શ્રીજીની કૃપા ને સંતનાં વચન તો,

                કર્મની રેખ પર મેખ મારે ||

            (૭)

સંતના વચનથી ભક્ત કવિ ભીમજી,

        સિંહાસન કરાવી પુત્ર પામ્યા ||

તેહ કવિ માવ તો મહા પૂજા થકી,

                સંતનેં વચન આયુષ પામ્યા ||

જબર મહીમા મહા પુજાનો જેતપુર,

        અનુભવ કરી કવિતા ઉચારે ||

શ્રીજીની કૃપાનેં સંતનાં વચન તે,

                કર્મની રેખ પર મેખ મારે ||

        (૮)

નિયમ, નિશ્ચય અને પક્ષ રાખ્યા થકી,

                કાળનેં કર્મ માયા ન લોપે ||

બ્રહ્મરૂપ થઈ અને રટે પરીબ્રહ્મનેં,

        દેવ આચાર્ય શ્રદ્ધા સમાપે ||

દાસનો દાસ કવિ માવ થઈનેં રહે,

                સંત સાચે મતિ સ્થિર સ્થાપે ||

(તો) છતે દેહેં વસે ધામ અક્ષર વિષે,

                ગુરૂની કૃપા શ્રીજી પ્રતાપે ||

 

* સ્વામિનારાયણ—છ અક્ષરનો મંત્ર

મૂળ પદ

અખિલ સંસારમાં જીવ કૈં અવતરે,

રચયિતા

માવદાનજી કવિ

ઉત્પત્તિ

        મારો જન્મ વિ—સં ૧૯૪૮ના ભાદરવા સુદી ½

મંગળવારે  થતાં મારી જન્મોત્રી કરનાર *જોશીએ મારી

ઉંમર વર્ષ ૫૭- ૬ માસ અને ૫ દીવસની થતાં સં. ૨૦૦૬

ફાગણ સુદ ૫ બુધવારે મધ્યાને ‘વ્રણ’ પીડાથી દેહ પડે,

તેમ લખી જન્મોત્રી પૂર્ણ કરી હતી, ઠરાવ મારી પાસે છે

બરાબર સં. ૨૦૦૬ મા મહા માસમાં મને ડાબે હાથે

વાની બીમારી થઇ. ઉપચારો કરતાં જોઇએ તેવો આરામ

થયો નહીં. આખો હાથ  સોજી ગયો- હાથની કળાઇ અને

પોંચા ઉપર એટલો બધો સોજો થયો કે હમણાં ચામડી

ફાટસે-તેવું જોનારને લાગે, ને જામેલા ફોડલા ફોડલી

આખે હાથે જોવામાં આવે. ઉપરની સઘળી હકીકત શ્રીજી

ના ગાદીસ્થાને જેતપુર લખી ને પરમ પુજ્ય સદગુરૂશ્રી,

 

કોઠારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીનો આશીર્વાદ માગ્યો,

જવાબ મળ્યો. કે “ભગવાન સ્વામિનારાયણનું કર્યું

થાય છે, માટે હીંમત રાખજો. ભજન કરજો અને તમારો

દેહ પૃથ્વી ઉપર રહે ત્યાં સુધી તમારા જન્મની તીથી

સુદી ૧૨ ની છે. તે દરેક મહિને એક મહા પુજા કરાવવી.

શ્રીજી સારૂં કરશે, ઉપરનો આશીર્વાદ મળ્યો કે તુરત જ 

હાથે આરામ થવા લાગ્યો અને ફાગણ સુદી ૫ બુધવાર

ની ઘાતની તીથી પણ જેમ આવી તેમજ ગઈ તે આરામ

થયા પછી જેતપુર દર્શને જઈને દર સાલ દરેક માસની

અજવાળી બીજે મહાપુજા કરવા માટે રૂ. ૫૦૧) પાંચસો

એક જેતપુર મંદીરમાં મેં મેલ્યા. ને તે તમામ વીગત

આરસમાં કોતરાવી નીચેનો દુહો પણ કોતરાવ્યો કે

 

                || દોહા ||

જનમ્યા જોગી વચનથી, લખ્યા વિધાતા લેખ ||

(તેમ) જીવ્યા જોગી વચનથી, મારી કર્મ રેખ પર મેખ ||

 

        આજે એ હકીકતને બરાબર ૯ વર્ષ પુરાં થઈને

દશમું શરૂ થયું છે. હવે શ્રીજીની ઇચ્છા એજ મારૂં

પ્રારબ્ધ સમજી આયુષ્ય પુર્ણ થતાં દેહનો વ્હેવાર સ્વા-

મીના વચને કરી યથા શક્તિ ભજન કરૂં છું એ શ્રીજી

નો મહાન પ્રતાપ છે

                                        (કવિ માવદાનજી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી