જય પરબ્રહ્મગીરા જય પરબ્રહ્મગીરા શિક્ષાપત્રી સુખદા શ્રેયસ્કર રૂચિરા ૧/૧

૧/૧ શિક્ષાપત્રીની આરતી ૨૨
 
જય પરબ્રહ્મગીરા જય પરબ્રહ્મગીરાશિક્ષાપત્રી સુખદા શ્રેયસ્કર રૂચિરા- જય૦
સહજાનંદ પ્રભુની કરુણામૃત સરિતા, તું કરુણામૃત સરિતા;સત્સંગી જીવનની દિવ્ય મહા કવિતા- જય૦
ધર્મસહિત સદ્‌ભક્તિ નિજજનમાં ભરતી, તું નિજજનમાં ભરતીજ્ઞાન તણાં અત્યુત્તમ સુત્રો ઉચ્ચરતી- જય૦
વિરાગમાં પ્રભુપ્રીતિ વિવેકથી વણતી, તું વિવેકથી વણતી;બ્રહ્મરૂપે પ્રભુસેવા એ મુક્તિ ગણતી- જય૦
ભક્તજનોની ભક્તિ ધર્મ વડે ભરતી, તું ધર્મ વડે ભરતી;ને આત્યંતિક મુક્તિ, નિષ્ઠાથી કરતી- જય૦
વિશેષને સામાન્ય ધર્મો સુચવતી, તું ધર્મો સુચવતી;કલિમાં મંગલકારી, સહજાનંદ સ્મૃતિ- જય૦
સત્સંગતિનો મર્મ; બહુધા ઉચ્ચરતી, તું બહુધા ઉચ્ચરતી;ગુણદ્રષ્ટિ રાખીને નિંદા પરહરતી- જય૦
સચ્છસ્ત્રોનું તત્વ જગમાં વિસ્તરતી, તું જગમાં વિસ્તરતી;અભય કરી આશ્રિતો, સંકટ સહુ હરતી- જય૦
સર્વોપરિ સંપૂજ્ય શ્રીહરી-મૂર્તિરૂપ, તું શ્રીહરી-મુર્તિરૂપ;આજ્ઞાંક્તિ બની રહીએ, બનવા બ્રહ્મસ્વરૂપ- જય૦ 

મૂળ પદ

જય પરબ્રહ્મગીરા જય પરબ્રહ્મગીરા શિક્ષાપત્રી સુખદા શ્રેયસ્કર રૂચિરા

રચયિતા

ત્રિભુવનભાઇ વ્યાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0