મન માન કહ્યું તું મારું રે, નક્કી જાવું છે નિધાર, ૧/૧

 મન માન કહ્યું તું મારું રે, નક્કી જાવું છે નિરધાર...ટેક.
કાયા તારી કરમાશે, અંતે ફજેતી થાશે;
	અંતે દેહ પડી જાશે રે...નક્કી૦ ૧
જેમ વૃક્ષ પર પંખી આવે, રાત રહીને શાંતિ પાવે;
	પ્રભાતે ઊડી જાવે રે...નક્કી૦ ૨
નિત્ય મરે છે નાના મોટા, પાણી તણા પરપોટા;
	સંસાર તણા ખેલ ખોટા રે...નક્કી૦ ૩
નિત્ય ભમે છે કાળ તુંને લેવા, નહીં દિયે પળ એક રહેવા;
	જેણે લીધા છે રાવણ જેવા રે...નક્કી૦ ૪
તારા જીવનું સાધન કરજે, હરિનામ હૃદયમાં ધરજે;
	ભવસિંધુ સહેજે તરજે રે...નક્કી૦ ૫
તમે ઇચ્છો અંતર સુખ થાવા, બધા મૂકી દ્યો મનના દાવા;
			દયાનંદ હરિગુણ ગાવા રે...નક્કી૦ ૬ 
 

મૂળ પદ

મન માન કહ્યું તું મારું રે, નક્કી જાવું છે નિધાર,

મળતા રાગ

ગરબી (આશાવરી)

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નારાયણસેવાદાસજી સ્વામી - હરિયાળા ગુરુકુલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0