સ્વામી સચ્ચિદાનંદજી , જેનો સ્નેહ અપાર;૧/૨

પદ – ૧૭૬ ૧/૨

સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજીના વિયોગ વિષે.

(રાગ રામગ્રી)

“કારતક માસે કા'નજી રે, મેલી જાઓમાં મહારાજ, રુદન કરે

રાણી રાધિકા; “ એ રાગ પ્રમાણે.

સ્વામી સચ્ચિદાનંદજી , જેનો સ્નેહ અપાર;

પળ પણ પ્રભુ વિના કદી, રહી શકે ના લગાર. સ્વામી. (ટેક)

બાળા વયથી ગ્રહ તજી, થયા શ્રીજીના સંત;

શ્રીજીમાં દ્રઢ સ્નેહ બાંધિયો, ધન્ય ધન્ય ધીમંત. સ્વામી. (૧)

એક સમે ગઢપુરથી, વાલો કરીને વિચાર;

ધરમપુરે ધર્મસુત ગયા, સાથે સંત અપાર. સ્વામી. (૨)

સંત સચ્ચિદાનંદને , મૂક્યા ગઢપુર માંય;

વિરહ વા'લાના વિયોગનો, વાધ્યો સ્વામીને ત્યાંય. સ્વામી. (૩)

ભૂલ્યા સ્વામી તન ભાનને, પડ્યા પૃથ્વી મોઝાર;

હે હરિ ! હે હરિ !! ઉચ્ચરે, આંખે આંસુની ધાર. સ્વામી. (૪)

ખવાય નહીં મુખે અન્નને , નહીં પીએ એ નીર;

વેદના હરિના વિયોગની, રોમે રોમે રુધીર. સ્વામી. (૫)

જળ રે વિના જેમ માછલું, તેમ તરફડે પ્રાણ;

દુઃખનો દરિયો રેલિયો, જાતાં શામ સુજાણ. સ્વામી (૬)

કેનું કઠણ હોય કાળજું , ધારી શકે ત્યાં ધીર;

સ્વામીનો સ્નેહ નિહાળીને, નેણે આવિયાં નીર. સ્વામી. (૭)

ભગવતસુત કહે સ્નેહની , મૂરતિ સમજો તે સંત;

દૂર જાતાં તે ઘનશામજી, ઉપજ્યો વિરહ અત્યંત. સ્વામી. (૮)

મૂળ પદ

સ્વામી સચ્ચિદાનંદજી , જેનો સ્નેહ અપાર;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી