સંત સચ્ચિદાનંદજી , ઉન્મત્તગંગાને તીરઃ૨/૨

પદ -૧૭૭ ……………………૨/૨

(રાગ ઉપર પ્રમાણે)

સંત સચ્ચિદાનંદજી , ઉન્મત્તગંગાને તીરઃ

સ્નાનને અરથે સિધાવિયા, સ્મરતા શામશરીર. સંત. (ટેક)

સ્નાન કરીને ઉભા રહ્યા, મુખે શ્રીજીનું નામ;

પ્રેમથી ગંગાને પુછતા, દેખ્યા તેં ઘનશામ. સંત. (૧)

ખળખળીઆ તું ખળકે ઘણો , હરખ્યો હરિને શુ? જોઇઃ

નક્કી દેખાડ મારા નાથને, ખરે કપટને ખોઇ. સંત. (૨)

બાવળને વળી બોરડી, આવળ ફૂલી અપાર;

કોઇ રે! દેખાડો ઘનશામને , પ્રીતમ પ્રાણ આધાર. સંત. (૩)

ઉડતા પક્ષી જોઇને કહે, કહેજો જઇ જીવન પાસઃ

દાસ તમારો દરશન વિના, નાખે મુખથી નિશ્વાસ. સંત. (૪)

ઓ પ્રભુ ! કેમ તજી ગયા, દયા ત્યાગીને દૂરઃ

વા'લા તમારા વિયોગથી, જાશે જીવ જરૂર. સંત. (૫)

એમ ગદગદ કંઠે ઉચ્ચરે, આંખે આંસુની ધાર;

છેક ભરાઇ આવી છાતડી, કરતાં પ્રભુને પોકાર. સંત. (૬)

દેખીને સ્વામીના દુઃખને, ઝૂરવા લાગ્યાં ઝાડ;

ધરણી ધીરજ ના ધરી શકી, પીગળિયા સહુ પહાડ. સંત. (૭)

ભગવતસુત કહે શ્રીહરિ, દિવ્ય રૂપે દયાળ;

આવીને દરશન આપિયાં, કરુણા કરીને કૃપાળ. સંત. (૮)

-------------------------------------------------------------

���ળખળીયો= ઉન્મત્તગંગાનો ઘાટ – એ સ્થળે શ્રી હરિએ અનેક

જળ લીલા કરી છે, તેથી મહાપ્રસાદીનુ તીર્થ છે.

મૂળ પદ

સ્વામી સચ્ચિદાનંદજી , જેનો સ્નેહ અપાર;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી