રાત પડે ને રાજી હું તો રાત પડે ને રાજી ૧/૧

રાત પડે ને રાજી હું તો રાત પડે ને રાજી

રોજ નવી કંઇ વાતો કહેતા મારા દાદાજી .....રાત...ટેક

રામાયણના રામચંદ્રની કોઈક દિવસ પાંડવની

વાત થઇ જાતી રે ક્યારેક શિવજીના તાંડવની

વાતે આવે બ્રહ્માજી ને ક્યારેક શ્રી નારદજી

સુણતાં નામ જ નારદજીનું બોલી ઉઠું હું નાચી

દાદાજી મને નારદજીની વાત કરો બહુ જાજી....રાત..૧

કોઈક વાત તો ઘનશ્યામજીના અક્ષરધામની થાય

કોઈક રાત તો જોબનપગીની વાત ભલાં થઇ જાય

ક્યારેક આવે દાદાખાચર ક્યારેક સુરાખાચર

સેવા શ્રી ઘનશ્યામની કરવા હનુમાનજી થાય હાજર

ક્યારેક આવે જીવુબા ને  ક્યારેક લાડુબાજી

રોજ નવી કંઇ વાતો કહેતા મારા દાદાજી .........રાત...૨

ક્યારેક શ્રીજી હોય રીસાણા સ્વામી બ્રહ્માનંદ આવે

શ્રીજી સખાની રમુજ સુણીને ખુબ જ આનંદ આવે

મીણબાઇ ને ઝમકુબાઇની કેવી અદ્ભુત વાતો

જીવનમહીં રે જીલ્યા જેણે જાજા ઝંઝાવાતો

સાંભળી આવી વાતો મારું મનડું થાતું રાજી

રોજ નવી કંઇ વાતો કહેતા મારા દાદાજી .........રાત...૩ 

મૂળ પદ

રાત પડે ને રાજી હું તો રાત પડે ને રાજી

રચયિતા

કીર્તનપ્રિય

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

કીર્તનપ્રિય (સ્વરકાર)
બાલ કલરવ
Studio
Audio
0
0