જીવનમાં તમારો આશરો, એ એક જ સુખનો સાર છે ૧/૧

જીવનમાં તમારો આશરો, એ એક જ સુખનો સાર છે;
	એહ વિના સુખિયા થાવાનો, બીજો ક્યાં કોઈ આધાર છે...ટેક.
બળ લેશ તમારું જો હોય તો, મોટા ભયથી પ્રભુ તમે રક્ષા કરો;
વિશ્વાસ તમારો જો રાખી શકું, સર્વાનંદથી તમે પૂર્ણ ભરો;
	વિશ્વાસીનું દિલ નથી તોડતા, એવો વિશ્વાસી પર પ્યાર છે...૧
તમે કોઈથી પ્રભુજી ડરતા નથી, તમે વિશ્વાસઘાત કદી કરતા નથી;
હોય દૃઢ ભરોસો એવો જેને, એવા ભક્તોય કોઈથી ડરતા નથી;
	અસંભવને સંભવ કરો, સામર્થી તમારી અપાર છે...૨
થાવાનું જે હોય તેને રોકી શકો, ના થાવાનું પણ તમે કરી શકો;
અવળું-સવળું સવળું-અવળું, એમ અન્યથા પણ તમે કરી શકો;
	કહે જ્ઞાનજીવન હે સર્વોપરી, મારે તારો જ એક આધાર છે...૩
 

મૂળ પદ

જીવનમાં તમારો આશરો, એ એક જ સુખનો સાર છે

મળતા રાગ

જાનાર તો અહીંથી જતા રહ્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
1
0