મારે પીયુડા વિના હવે કેમ જીવવું, મારે નાથ વિયોગે રહેવાતું નથી ૧/૧

મારે પીયુડા વિના હવે કેમ જીવવુ

મારે નાથ વિયોગે રહેવાતું નથી

તેને મળવા હે સખી મારે કેમ કરવું

છેટે રહેવાનું દુઃખ સહેવાતું નથી,

મારે પીયુડા વિના હવે કેમ જીવવુ…

 

 

મારે માથે હતા નાથ રાજી બહુ

એ આનંદની વાત સખી શું રે કહુ.

હવે પિડાય છે હૈયુ મારુ બહુ બહુ

હવે રાજી હશે કે વાલો નહિ હોય

રાજી જાણ્યા વિના સુખ થાતુ નથી

મારે પીયુડા વિના હવે કેમ જીવવુ…

 

હરિ રાજી જો હોય તો હું કાંઇ ન માંગુ.

એના રાજીપા માટે મારા સુખો ત્યાગું

એને સુખી જોવાને દિન-રાત જાગું

એને રાજીપે રાજી એને સુખે હું સુખી

એના સિવાય બીજુ મારે જોતુ નથી

મારે પીયુડા વિના હવે કેમ જીવવુ…

 

એની મરજી જો હોય તો જ મળજો હરિ

એની મરજી ના હોય તો ન મળજો હરિ

હું તો પિયુડા માટે જ જીવીશ ખરી

હરિ જેમ રાજી હોય એમ રહીશ પરી

જ્ઞાન સખીથી બીજુ બોલાતુ નથી

મારે પીયુડા વિના હવે કેમ જીવવુ… 

મૂળ પદ

મારે પીયુડા વિના હવે કેમ જીવવું, મારે નાથ વિયોગે રહેવાતું નથી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
1
1