અથ મનસિ શનૈઃ સ્થિરત્વમાપ્તે ૧/૧

અથ મનસિ શનૈઃ સ્થિરત્વમાપ્તે
  ભગવતિ માનુષમૂર્તિ – વાસુદેવે ।
નિજહૃદિ પૃથગેક – મેકમંગં
  ચરણતલાદિ વિચિન્ત્યમસ્ય પુંસામ્ ॥૧॥

નિજહૃદિ દ્રશિ ગોચરે તદીયે
  હ્યવયવ એકએકકે પૃથક્ ચ ।
ચપલમપિ મનઃ સ્થિરં વિધેયં
  વ્રજતિ લયં ખલુ તેન તન્મલૌઘઃ ॥૨॥

ધ્વજકમલ – યવાંકુશોર્ધ્વ – રેખા
  પ્રમુખ – સુલક્ષણલક્ષિતે ચ રમ્યે ।
અતિશય – મૃદુલે ચ યાવકાભે
  ચરણતલે મનસાસ્ય ચિન્તનીયે ॥૩॥

અરુણનખ-શશાંકરાજિ-કાન્ત્યા
  હૃતનિજચિન્તક - હૃત્તમોંઘ્રિયુગ્મમ્ ।
ક્રમલઘુસમ – કોમલાંગુલીભિર્
  હૃતનવપલ્લવકાન્તિ ચાસ્ય ચિન્ત્યમ્ ॥૪॥

નિજજન – મનસઃ પ્રહર્ષણાર્થં
  પરિધૃતનૂપુર – શિંજિતાતિરમ્યમ્ ।
સ્વગતનિજજનાક્ષિ – વૃત્તિચોરં
  ચરણયુગં હૃદિ ચિન્તનીયમસ્ય ॥૫॥

કિસલય – મૃદુલે સુવૃત્તજંઘે
  ક્રમપૃથુલેથ સુવર્તુલૌ ચ જાનૂ ।
કરિકર સદ્રશં સમં ચ પીનં
  નિજહૃદિ સક્થિયુગં ચ ચિન્ત્યમસ્ય ॥૬॥

મૃદુઘન-સિતસૂક્ષ્મ-દીર્ઘવાસઃ
  પરિદધદુત્તમ – હૈમકાંચિનદ્ધમ્ ।
પૃથુલ – કટિયુગં ચ ચિન્તનીયં
  નિજહૃદયે ચિરમસ્ય ભક્તભર્તુઃ ॥૭॥

ઉદરમપિ લસદ્-વલિત્રયાન્તર્
  ગતશુભ-સભ્રમ-નિમ્નનાભિ-કૂપમ્ ।
હૃદયમુરુ – સુગન્ધિ – પુષ્પહારં
  સમવિતતં હૃદિ ચિન્ત્યમસ્ય તુંગમ્ ॥૮॥

કનક-કટક-શ્રૃંખલોર્મિકાભિર્
  લસદરુણાં જનિભં કરદ્વયં ચ ।
દ્રઢતર – મતિરમ્ય – બાહુયુગ્મં
  નિજહૃદયેસ્ય વિચિન્ત્યમંગદાઢ્યમ્ ॥૯॥

વિવિધમણિ – વિશુદ્ધ – હેમસૂત્ર –
  ગ્રથિતસુમૌક્તિક – હારહારિકંઠઃ ।
વિગત – શશકલંક આસ્યચન્દ્રઃ
  સ્થિરમનસાસ્યચિરંચચિન્તનીયમ્ ॥૧૦॥

મિતહસિત – વિસર્પિદન્તકાન્તિ –
  પ્રથનસમુજ્જ્વલ – ગંડયુગ્મમસ્ય ।
નવનલિન – દલાયતં વિચિન્ત્યં
  નિજહૃદિ ચંચલ – લોચનદ્વયં ચ ॥૧૧॥

શ્રવણ – યુગલમસ્ય કુંડલશ્રી –
  ર્બહુવિધપુષ્પમયાવતં સ રમ્યમ્ ।
તરદલઘુ વિશાલભાલ – રાજત્ –
  સતિલક – કુંકુમચન્દ્રકશ્ચ ચિન્ત્યઃ ॥૧૨॥

અસિત – તિલકલક્ષ્મ દક્ષગંડે
  તિલકુસુમોત્તમ – નાસિકાન્તિકેસ્તિ ।
વિલસદસિત – બિન્દુરસ્ય વામે
  શ્રવણપુટે ભવતીતિ ચિન્તનીયઃ ॥૧૩॥

વિવિધકુસુમ – શેખરાલિરાજત્ –
  પટમુકુટં ચ શિરોસ્ય ચિન્તયિત્વા ।
વદનકમલમેવ ચિન્તકેન
  સ્મિતમધુરં ચિરકાલમસ્ય ચિન્ત્યમ્ ॥૧૪॥

મૂળ પદ

અથ મનસિ શનૈઃ સ્થિરત્વમાપ્તે

રચયિતા

શતાનંદ સ્વામી

કીર્તનનો અર્થ

સમગ્ર શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ધર્યા પછી હવે આ મનુષ્યરૂપ દિવ્ય મૂર્તિ ભગવાન વાસુદેવમાં અનુક્રમે ધીરે ધીરે મન સ્થિરતાને પામે ત્યાર પછી ધ્યાન કરનાર ભક્તે પોતાના હૃદયમાં (સ્થિરપણે નિવાસ કરી રહેલા) તે ભગવાનના ચરણતલાદિ એક એક અંગનું જુદું જુદું ચિંતવન કરવું. (૧)

પોતાના હૃદયમાં અને આંખમાં પ્રત્યક્ષપણે વસેલા ભગવાનમાં અને તેમના એક એક અવયવમાં ચંચળ એવા મનને પૃથક્ પૃથક્ સ્થિર કરવું. તેથી મનનાં પાપોનો સમૂહ નિશ્ચય નાશ પામી જાય છે. (૨)

(સૌ પ્રથમ આ શ્રીહરિનાં) ધ્વજ, કમળ, યવ, અંકુશ અને ઊર્ધ્વરેખા આદિક વિશિષ્ટ ચિહ્નોથી અંકિત, રમણીય, અતિશય કોમળ, અળતા જેવી રાતી કાંતિવાળાં બંને ચરણ-તળનું ચિત્ત વડે ચિંતવન કરવું. (૩)

તે પછી રક્ત નખચંદ્રની પંક્તિની કાંતિથી, ધ્યાન કરનાર પોતાના જનોના અંતરના અજ્ઞાનરૂપ અંધકારને હરનારા, અનુક્રમે એક એક થકી નાની અને સપ્રમાણ તથા પુષ્પ જેવી કોમળ એવી આંગળીઓથી નવી કૂંપળની કાંતિનો તિરસ્કાર કરનારા એવા આ શ્રીહરિનાં બે ચરણારવિંદનું ભક્તજને ધ્યાન ધરવું. (૪)

પોતાના ભક્તોનાં મનને અત્યંત હર્ષ પમાડવા માટે (તેમની પ્રાર્થનાથી) પહેરેલાં ઝાંઝરના ખણખણાટ શબ્દથી અતિ રમણીય, અને દર્શન કરનારા પોતાના જનોનાં નેત્રની વૃત્તિને ચોરનારા એવા આ શ્રીહરિનાં બે ચરણારવિંદનું હૃદયમાં ચિંતવન કરવું. (૫)

તે પછી કૂંપળ જેવી કોમળ, અનુક્રમે વિશાળ, ગોળ અને શોભાયમાન શ્રીહરિની બંને જંઘાનું, અને તે પછી અત્યંત ગોળાકાર શ્રીહરિના બંને ઢીંચણનું તથા હાથીની સૂંઢ સમાન પુષ્ટ બે સાથળોનું ભક્તજનોએ પોતાના હૃદયમાં ચિંતવન કરવું. (૬)

મુલાયમ, ઘાટાં, શ્વેત, ઝીણા તારથી યુક્ત વસ્ત્રવાળી તથા ધારણ કરેલા સુવર્ણના ઉત્તમ કંદોરાથી બાંધેલી, ભક્તોના પોષક એવા ભગવાનની વિશાળ કેડના બે ભાગનું, ભક્તજનોએ પોતાના મનમાં બહુ વાર સુધી ધ્યાન કરવું. (૭)

તે પછી શોભાયમાન ત્રિવળીના મધ્યમાં રહેલી સુંદર, ગોળ, ગંભીર, ઊંડી નાભિ જેમાં છે તેવા શ્રીહરિના ઉદરનું તથા સુગંધીદાર વિવિધ પુષ્પહારોથી અલંકૃત, એક સરખા, વિશાળ ઊપડતા શ્રીહરિના વક્ષઃસ્થળનું ભક્તજનોએ હૃદયમાં ચિંતવન કરવું. (૮)

સોનાનાં કડાં, સાંકળાં, વીંટીઓ વગેરેથી શણગારેલાં, અને રાતા કમળ સમાન, શ્રીહરિના બે હસ્તકમળનું તથા અતિદ્રઢ, બાજુબંધથી અલંકૃત અતિશય રમણીય એવી શ્રીહરિની બે ભુજાઓનું પોતાના હૃદયમાં ચિંતવન કરવું. (૯)

આ શ્રીહરિના, વિવિધ મણિના અને વિશુદ્ધ સોનાના તારથી ગૂંથેલા મોતીના હારો વડે મનોહર એવા કંઠનું (ક્રમથી) ચિંતવન કરવું અને સસલાના કલંકે રહિત એવા તેમના મુખરૂપી ચંદ્રમાનું સ્થિર મનથી બહુકાળ સુધી ચિંતવન કરવું. (૧૦)

તે પછી શ્રીહરિના મંદ હાસ્યથી લગાર પ્રસરતી દંતની કાંતિના વિસ્તારથી અતિ ઉજ્જવળ એવા બે ગાલનું પોતાના હૃદયમાં ચિંતવન કરવું. તે પછી નવીન કમળના પાંદડા જેવી દીર્ઘ અને ચંચળ એવી બે આંખોનું ચિંતવન કરવું. (૧૧)

તે પછી કુંડળની શોભા અને બહુ પ્રકારનાં પુષ્પોના ગુચ્છોની શોભાથી રમણીય એવા (આ શ્રીહરિના) બે કાનનું ભક્તજનોએ ધ્યાન કરવું. તે પછી થોડા ઊંચા દીર્ઘ ને વિશાળ લલાટમાં વિરાજમાન એવા ઊર્ધ્વપુંડ્ર સહિત કુંકુમના ચાંદલાનું ચિંતવન કરવું. (૧૨)

તલના પુષ્પ જેવી આ શ્રીહરિની નાસિકાની નજીકમાં જમણા ગાલમાં કાળા તલનું જે ચિહ્ન છે તેનું તથા ડાબા કાનમાં જે શોભાયમાન શ્યામ તલ છે તેનું પણ ધ્યાન કરવું. (૧૩)

તે પછી બહુ પ્રકારનાં પુષ્પોના તોરાઓની પંક્તિઓથી શોભાયમાન વસ્ત્રના મુગટ(પાઘ)થી યુક્ત એવા શ્રીહરિના મસ્તકનું ચિંતવન કરીને તે પછી મંદ હાસ્યથી સુંદર એવા આ શ્રીહરિના મુખ કમળનું જ ધ્યાનના કરનારે બહુકાળ સુધી ધ્યાન કરવું. (૧૪)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
11
6