મનવા સત્ય શ્રીજી રહેવાના, બાકી સર્વે છે મરવાના ૧/૧

મનવા સત્ય શ્રીજી રહેવાના, બાકી સર્વે છે મરવાના,
 	તારે શ્રીજી જોઈએ ? કે વસ્તુ બીજી જોઈએ ?
મનવા નાશવંત છે કીર્તિ, સદા સત્ય હરિની મૂર્તિ,
 	તારે મૂર્તિ જોઈએ ? કે પછી કીર્તિ જોઈએ ?...ટેક.
જગનાં માન અપમાન, સદા સાન્ત છે નિદાન,
એને મેળવી શું કરવું તારે ?
	એ તો દુ:ખ સહી, એમાં સુખ નહિ,
	એમાં ઠર્યો નથી હજુ કોઈ લગારે;
		મનવા દુ:ખદાયી છે માન, સદા સુખદાઈ ભગવાન,
		તારે માન જોઈએ ? કે ભગવાન જોઈએ ?...મનવા૦ ૧
મેલી ઉપસવાનું તાન, ડૂબી ભજ ભગવાન,
તને સુખ મળશે બહુ ભારી,
	પ્રસિદ્ધિ છે ભૂંડી, તજ ઇચ્છા ઊંડી,
	ભાવે ભજી લેને શ્રીહરિ અવતારી;
		નથી પ્રસિદ્ધિ કાંઈ સિદ્ધિ, મળે મૂર્તિ તે છે સિદ્ધિ,
		તારે સિદ્ધિ જોઈએ ? કે પ્રસિદ્ધિ જોઈએ ?...મનવા૦ ૨
જગે માયાનું જે સુખ, એમાં નર્યું ભર્યું દુ:ખ,
એવાં દુ:ખાળાં સુખ શું કરવાં,
	શ્રીજી નર્યું છે સુખ, એમાં જરી ન દુ:ખ,
	આ તો આત્માને કાયમ છે ઠરવા;
		‘જ્ઞાન’ શ્રીજી સુખધામ, માયા દુ:ખનું છે ઠામ,
		તારે માયા જોઈએ ? કે મહારાજ જોઈએ ?...મનવા૦ ૩
 

મૂળ પદ

મનવા સત્ય શ્રીજી રહેવાના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મનવા
Studio
Audio
0
0