આવા ભગવાન નહિ મળે, અહો ! આવા ભગવાન નહિ મળે ૧/૧

આવા ભગવાન નહિ મળે, અહો ! આવા ભગવાન નહિ મળે.
	જેને સંભારો ત્યાં શાંતિ વળે...અહો!૦ ટેક.
જેનું નામ રટયે સહુ કામ થાયે,
	પ્રાણી સહેજે અક્ષરધામમાં જાયે...અહો !૦ ૧
જેનું સ્મરણ કર્યે અઘઓઘ ટળે,
	જેને ભજતાં આનંદઓઘ વળે...અહો !૦ ૨
જેને નીરખે સંકટ સર્વે ટળે,
	જેને મળતાં મોટપ સર્વે મળે...અહો !૦ ૩
એવા સહજાનંદ મહારાજ મારા,
	કહે જ્ઞાનજીવન મને પ્રાણ પ્યારા...અહો !૦ ૪
 

મૂળ પદ

આવા ભગવાન નહિ મળે, અહો ! આવા ભગવાન નહિ મળે

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા સહજાનંદસ્વામી
Studio
Audio
0
0