શું પડી ભૂલ મારી, કેમ ચાલ્યા અવતારી; રાજી થઈ રહો સદા તમે સુખકારી ૧/૧

શું પડી ભૂલ મારી, કેમ ચાલ્યા અવતારી;
	રાજી થઈ રહો સદા તમે સુખકારી...ટેક.
માફ કરી ગુન્હા મારા, રાજી રહેજો પ્રભુ પ્યારા;
અમે અજ્ઞાની છીએ, બાળક તમારા;
	તમારા જાણીને માફ કરો ગિરધારી (૨)...શું પડી૦ ૧
જાવ ભલે પ્રભુ પ્યારા, દેજો દર્શન હરિ પ્યારા;
અમે તારા વિયોગે ઝૂંરશું હે પ્યારા;
	તારા વિના સુખ નથી ક્યાંય સુખકારી (ર)...શું પડી૦ ૨
જ્ઞાનસખી કહે પ્યારા, કેમ રહેશું તુંથી ન્યારા;
બળ દેજે તુજ એવું, ગમે મરજીમાં રહેવું;
	ચાહું બસ મૂર્તિ ને મરજી તમારી (૨)...શું પડી૦ ૩
 

મૂળ પદ

શું પડી ભૂલ મારી, કેમ ચાલ્યા અવતારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિદાય
Studio
Audio
0
0