મને વાલો છે એવો યુવાન, જે ગુણ સદા લીધા જ કરે ૧/૧

મને વાલો છે એવો યુવાન, જે ગુણ સદા લીધા જ કરે;
			દિવ્યતા રાખ્યા જ કરે...ટેક.
આળસ ટાળીને શ્રીહરિને, રાજી સદા કર્યા જ કરે;
	સંતો-ભક્તોની મરજીમાં, પ્રેમે સદા વહ્યા જ કરે(૨)...મને૦ ૧
મનનું ધાર્યું મૂકી સદાયે, સંતોને રાજી કર્યા જ કરે;
	ઇન્દ્રિયો ને અંત:કરણને, જપથી તપથી દમ્યા જ કરે(૨)...મને૦ ૨
આજ્ઞાઓ જે શ્રીહરિની, શિર સાટે પાળ્યા જ કરે;
	અંત:શત્રુ ને વાસનાને, મન દઈને ટાળ્યા જ કરે(૨)...મને૦ ૩
આવા યુવાનને સદાયે મારો, પોતાનો હું માનું છું;
	ગમે તેવા દુ:ખમાં તેની, ભેર સદા હું તાણું છું(૨)...મને૦ ૪
શ્રીહરિ કહે ‘જ્ઞાન’ તેને હું, આનંદ સર્વે આપું છું;
	કરી નિર્ભય આલોકે તેને, અક્ષરધામે સ્થાપું છું(૨)...મને૦ ૫
 

મૂળ પદ

મને વાલો છે એવો યુવાન, જે ગુણ સદા લીધા જ કરે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
શિશિર પાંડે
વહાલો યુવાન
Studio
Audio
0
0