ભજી લે મન તું હરિનામ સદા, નહિ જાણ તું આયુષ્ય ખૂટે કદા ૧/૧

ભજી લે મન તું હરિનામ સદા, નહિ જાણ તું આયુષ્ય ખૂટે કદા...૧
મનમાં જન જો તું વિચાર કરી, જગમાં હિતકારક એક હરિ...૨
અવરે અતિ આગ્રહ છોડ સદા, નહિ તેહ થકી સુખ શાંતિ કદા...૩
સુખ તો હરિમાં જ સદાય વસે, મૂરખા અવળે સ્થળે માથું ઘસે...૪
નહિ તારું જગે સગું કોઈ કદા, દુનિયા બધી સ્વારથી જાણ સદા...૫
પ્રભુજી વિના તાહરું કોઈ નથી, શીદને મનવા તું મરે છે મથી...૬
અવિનાશ તને ન નિરાશ કરે, હૃદયે મન ધીરજ જો તું ધરે...૭
સત્સંગ કરી ભવ જા તું તરી, નહિ તો અતિ દુ:ખ થશે જ મરી...૮
જનને પ્રભુની અતિ થાય દયા, મનથી સરવે અરી જાય વયા...૯
ગુરુની જનને અતિ થાય દયા, સમજો મનથી સબ દોષ ગયા...૧૦
મન હે મન જ્ઞાન કહે જ કથી, હરિ આશ્રય વિના ઉપાય નથી...૧૧
 

મૂળ પદ

ભજી લે મન તું હરિનામ સદા, નહિ જાણ તું આયુષ્ય ખૂટે કદા

મળતા રાગ

તોટક (મને મળિયા સહજાનંદ)

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
મનવા
Studio
Audio
0
0