કાનજી શું કહી મેલ્યું રે, ઓધાજી અમને કાનજી શું કહી મેલ્યું ૧/૪

 

કાનજી શું કહી મેલ્યું રે, ઓધાજી અમને કાનજી શું કહી મેલ્યું. ટેક.
મનડાને લઇ ગયા છે, પાપી પ્રાણ બાકી રહ્યા છે ;
તે પણ તૈયાર થયા છે રે. ઉધા૦ ૧
માછલાંને પાણી પ્યારૂં, તે ન જીવે આવી બારૂં ;
એવું કામ છે અમારૂં રે ; ઉધા૦ ર
જેનું મન હોયે રોગી, તે ફરે થઇને જોગી ;
અમેં તો ભૂધરનાં ભોગી રે. ઉધા૦ ૩
બ્રહ્માનંદ કહે ખાઇ સમને, સાચી વાત કહીએ તમને ;
એવું તો મ કેંજો અમને રે. ઉધા૦ ૪

મૂળ પદ

કાનજી શું કહી મેલ્‍યું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી