નથી પંચ વિષયમા સુખ પ્રભુ એક જ મારું સુખ, ૧/૧

નથી પંચ વિષયમાં સુખ, પ્રભુ એક જ મારું સુખ,
નથી પંચવિષયે આનંદ, મારો આનંદ સહજાનંદ... ટેક.
આ વિકાર જે ફેરફાર એમાં, નથી માલ જરાય,
સ્થિર સદા બ્રહ્મપુરે, આ શ્રીજી સદા સુખદાઇ;
અણું અણુંમાં સહજાનંદ, આ મૂરતિ મહા આનંદ,
એ પામ્યો હું પરમાનંદ, મારો આનંદ સહજાનંદ...નથી૦ ૧
આ માયા વિકારી ને જડ છે એમાં, આનંદ કયાંથી હોય,
અસ્થિર દેહ આ દુનિયામાં, તો સ્થિરતા કયાંથી હોય;
એ સ્થિર બ્રહ્મસ્વરૂપ હું, એમાં રહ્યાં છે સહજાનંદ,
એ તો મહાસુખ છે અખંડ, મારો આનંદ સહજાનંદ...નથી૦ ૨
આ જ્ઞાનજીવનનો સર્વોપરિ, આધાર છે સુખધામ,
એમાં રહું એને જોવું, હું માણું સદા ઘનશ્યામ;
આ સાકાર મૂરતિ સુખ, બીજું સર્વે મનાણું દુઃખ,
આ સર્વોપરિ સુખકંદ, મારો આનંદ સહજાનંદ...નથી૦ ૩

મૂળ પદ

નથી પંચ વિષયમાં સુખ

મળતા રાગ

અખિયોં કે ઝરોખોં સે...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0