ઉધાજી એકાંતે કાનજીને કેહેવું નહોતું કરવું એવું..૩/૪

 

ઉધાજી એકાંતે કાનજીને કેહેવું, નહોતું કરવું એવું ;
માવા રે સેણાંનો સંદેશો જઇને રે. ઉ૦ટેક.
મથુરામાં જાઇ તમે ભલી મોજ માણી, રૂડી મળી રાણી. મા૦૧
દાસીવશ થઇ તમે વ્રજને વિસાર્યું, એનું કાજ સાર્યું. મા૦ર
અમેં તો તમારા બોલમાં બંધાણાં, ભોળાં ભરમાણાં. મા૦૩
બ્રહ્માનંદ કહે છે ભેળી તેડી લાવો, જેમ તેમ આવો. મા૦૪ 

મૂળ પદ

ગોકુલ પધારો રંગના રંગીલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી