છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ ૧/૧

છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ, રાજ આવોને મારે આંગણે હરિ.  ટેક.
ધર્મ ભકિતને ઘેરે પ્રગટ થઇને, કરી બાળ લીલા વાલે છપૈયા રહીને, અયોધ્યામાં, મલ્લને હરાવ્યા મહારાજ...  રાજ૦ ૧
માતા-પિતાના બધા દુઃખડાઓ કાપી, સુખી કરીને અંતે દિવ્યગતિ આપી, મહાવનમાં, એકલાજ ચાલ્યા મહારાજ...  રાજ૦ ૨
વનમાં ફરીને વાલે બહુ જીવ તાર્યા, પિબેક જેવાને વાલે પાર ઉતાર્યા, લોજપુરમાં, વાવે આવી બેઠા મહારાજ...  રાજ૦ ૩
મુક્તાનંદ આદિ સંત મળ્યા હરિને, રામાનંદ સ્વામી પાસે રહ્યાં ઠરીને, 
જેતપુરમાં, ગાદીએ બેસાડ્યા મહારાજ...  રાજ૦૪ 

મૂળ પદ

છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ

મળતા રાગ

ઘમ્મર ઘમ્મર મારૂં વલોણું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0