શ્રી હરિવર મારા દિલડામા રહેજો૨/૨

શ્રીહરિવર મારા દિલડામાં રહેજો,
દયા કરીને પ્રભુ ઘટે તે કહેજો.. શ્રીહરિ૦ ૧
મને તમારો જાણી પોતાનો કહેજો,
અમથી દુઃખાય વાલા છેટે મા રહેજો.. શ્રીહરિ૦ ૨
અવગુણ અમારા દાસ જાણીને સહેજો,
અંતકાળે રે આવી હાજર રહેજો.. શ્રીહરિ૦ ૩
અંતરજામી મને સંભાળી લેજો,
અસદ્વાસના વાલા ટાળી રે દેજો.. શ્રીહરિ૦ ૪
કામક્રોધાદિ ભૂંડા શત્રુડા છે જો,
તેથી જ્ઞાનને વાલા ઉગારી લેજો.. શ્રીહરિ૦ ૫

મૂળ પદ

મને તો એક વાલા આશ તમારી

મળતા રાગ

શીવરંજની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0