ઓ સંતો રે...મને મળવાનો કહું તમને ઉપાય૨/૨

 ઓ સંતો રે...મને મળવાનો કહું તમને ઉપાય;
	થાય ગાઢ પ્રીતિ તો મુજને મળાય;
	કરો સ્નેહ અતિ તો મુજને મળાય;
	વિના હેત મળવાનો નથી ઉપાય...ટેક.
લાડુબાએ મને, પ્રેમથી રીઝવ્યો, મોટીબાએ પણ તેમ, હો (૨)
દાદાખાચરે સ્નેહ, કીધો તો મુજમાં, તમે પણ કરો તેમ, હો (૨)
	ઓ સંતો રે...મારી મૂર્તિમાંથી વૃત્તિ પળ ન તોડાય;
	થાય ગાઢ પ્રીતિ તો મુજને મળાય...૧
સ્નેહે કરીને મારી, રાહ જો જો તમે, હારતા નહિ હિંમત, હો (૨)
રાહમાં ને રાહમાં, રહીને આનંદમાં, સમરો મને સતત, હો (૨)
	ઓ સંતો રે...મારી કથા કીર્તન ધૂન કરો સદાય;
	થાય ગાઢ પ્રીતિ તો મુજને મળાય...૨
હે વાલા સંતો, રાખજો મારો, અતિ તમે વિશ્વાસ, હો (૨)
જો જો ને સંતો, તમારા ભેળો, આવીને કરું નિવાસ, હો (૨)
	ઓ સંતો રે...જ્ઞાનજીવન કહે એમ બોલ્યા હરિરાય;
	થાય ગાઢ પ્રીતિ તો મુજને મળાય...૩ 
 

મૂળ પદ

ઓ વાલમ રે..તમને મળવાનું મને અતિ મન થાય,

મળતા રાગ

દીકરી તો પારકી થાપણ કહેવાય.

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી