છાની છાની રેને તું છબિલી, જાણી તુંને છો કૃષ્ણની મેલીરે ૪/૪

છાની છાની રેને તું છબિલી, જાણી તુંને છો કૃષ્ણની મેલીરે. 
ન કે આવું ન બોલે તું નારી, મેં તો જોઇ અભિપ્રાયે તારી રે. 
તારે વઢવું છે દઇ વાંક, ભલે વઢય અમે છૈયે રાંકરે. 
પણ જેવું હશે તે કેવાશે, દિઠું અણદિઠું કેમ થાશેરે. 
બાઇ કૃષ્ણ છે કપટ ભંડાર, એમાં ખોટું નથી જો લગારરે. 
નિષ્કુળાનંદના સ્વામીને જૈ કેજે, મારે દુઃખે સુખી તું રેજેરે.  ૬ 

મૂળ પદ

સખી શાને દોષ શામળીયાને દિજે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી