સત્ય વાત એક સાંભળોને સારી રે, જો જો જન મન વાત એ વિચારી રે ૫/૧૨

 સત્ય વાત એક સાંભળોને સારી રે, જો જો જન મન વાત એ વિચારી રે;
	આવો મનુષ્યદેહ તે શા માટે રે, આવ્યો કોણ કામ ચાલ્યો કોણ વાટે રે-૧
તેની સંતને ન પૂછી વાત સાચી રે, તું તો આપ ડહાપણે રહ્યો રાચી રે;
	કરે સુખના સમાજ કાજ કામ રે, તારું મન મોહ્યું દામ વામ ધામ રે-૨
કરે મનોરથ મન નિત્ય નવા રે, વિષય સુખ વળી જે ભોગવવા રે;
	આજ સુધી તેનો અભાવ ન આવે રે, કેમ ધતુરાના ડોડા ભૂંડા ભાવે રે-૩
ડસ્યો ભોયંગને લાગે લીંબ મીઠો રે, કરી કમાણીને હાલ્યો નર હેઠો રે;
	શી અક્કલ લીધી છે નર શીખી રે, કહે નિષ્કુળાનંદ નર દેખી રે-૪
 

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
ઉપદેશરસ
Studio
Audio
0
0