અક્ષરધામથી સંતોની સંગાથ જો પુરુષોત્તમ પધાર્યા મૃત્યુ લોકમાં ૧/૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો,
પુરુષોત્તમ પધાર્યા મૃત્યુ લોકમાં.. અક્ષર૦ ૧
શરદપૂનમની રૂડી રૂપાળી રાત જો,
પાટ ઢાળીને બેઠા વાલો ચોકમાં.. અક્ષર૦ ૨
સંતો ભકતોને વ્હાલે રાસ રમાડીયા,
રમ્યા છે વૃત્તિ રાખી પુણ્યશ્વ્લોકમાં.. અક્ષર૦ ૩
દૂધ પૌઆને જમ્યા મારો વાલમો,
આપી પ્રસાદી સર્વે જનોને ચોકમાં અક્ષર૦ ૪
પામ્યા પામ્યા આનંદ અપરંપાર જો,
લાખો જીવો સહજાનંદી જોકમાં.. અક્ષર૦ ૫
જ્ઞાનજીવન કહે ઉત્સવ દ્વારા તારીયા.
અનંત જીવોને પહોંચાડ્યા બ્રહ્મલોકમાં.. અક્ષર૦ ૬
 

મૂળ પદ

અક્ષરધામથી સંતોની સંગાથ જો પુરુષોત્તમ પધાર્યા મૃત્યુ લોકમાં

મળતા રાગ

મોહનને ગમવાને ઇચ્છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી