વચન વાલાનું વાલપ્યે પાળો મનમાં મળેલી માયાને ટાળો ૧/૨

વચન વાલાનું વાલપ્યે પાળો,
મનમાં મળેલી માયાને ટાળો...૧
અવિદ્યા છે ઊંડી અપરંપાર,
પરબ્રહ્મ પ્રભુજી વિના નાવે પાર...૨
વહાલાનો વિશ્વ્વાસ રાખો સદાયે,
હજુ નથી કોઇનું બગાડ્યું વહાલાએ.. ૩
તે વાલો મારો સહજાનંદ સ્વામી,
જ્ઞાનજીવન કહે ટાળી મારી ખામી...૪

મૂળ પદ

વચન વાલાનું વાલપ્યે પાળો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી