વાલાજીના વચનમાં રહેવું જે વળગી એ વિના સુખી થાવાની મતિ કરો અળગી ૨/૨

વાલાજીના વચનમાં રહેવું જે વળગી,
એ વિના સુખી થાવાની મતિ કરો અળગી...૧
મોટા મોટા વચનમાં રહી થયા સુખી,
બહુ દુઃખી થયા જાણો સર્વે મનમુખી...૨
માટે શિક્ષાપત્રી સહુ પ્રેમથી પાળો,
પાળી રૂડા વચનને વાસના બાળો...૩
સુખી થાવું હોય તારે જો જ્ઞાનજીવન,
વાલપ્યે પાળને તું વાલાના વચન...૪

મૂળ પદ

વચન વાલાનું વાલપ્યે પાળો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી