મૂર્તિ મુકીને કયાં દોડ્યો જાય રે મન રહે તું મુર્તિ માંય રે ૩/૬

મૂર્તિ મુકીને કયાં દોડ્યો જાય રે, મન રહે તું મુર્તિ માંય રે,
ભલા મળશે મૂર્તિમાં સુખ રે, બીજે પામીશ તું બહુ દુઃખ રે...૧
તારે સુખ જોઇએ અતિ અતિ રે, માટે ચિંતવે સદા મૂરતિ રે,
મારૂ માન્ય ને તું અલ્યા મન રે, સ્નેહે સંભાર્ય સદા જીવન રે...૨
થાશે મેલતા મૂર્તિ દુઃખ રે, તારૂ જતુ રહેશે બધુ સુખ રે,
જ્ઞાનજીવન હેતના વચન રે, હેતે માન્ય ને તૂં મારા મન રે...૩

મૂળ પદ

સુખ દુઃખનું કારણ મન રે, એમ કહે છે મોટા સંતજન રે,

મળતા રાગ

સંત બોલે તે ભેળો હું બોલું રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી