સુખ દુઃખનું કારણ મન રે એમ કહે છે મોટા સંતજન રે ૧/૬

સુખ દુઃખનું કારણ મન રે, એમ કહે છે મોટા સંતજન રે,
મન જીતે તે મરદ ખરો રે, મન જીતવા હરિ ધ્યાન ધરો રે...૧
મન મોક્ષ મારગેથી પાડે રે, મન માયામાં મોહ પમાડે રે,
મન રાખવું મૂર્તિ માંહી રે, એને જાવા ન દેવું કયાંઇ રે...૨
વૃત્તિ રાખવી મૂર્તિ મોજાર રે, દેવી નહીં નિકળવા બહાર રે,
રાખ્ય સતત મૂર્તિમાં મન રે, મારૂ માન્ય ને જ્ઞાનજીવન રે...૩

મૂળ પદ

સુખ દુઃખનું કારણ મન રે, એમ કહે છે મોટા સંતજન રે,

મળતા રાગ

સંત બોલે તે ભેળો હું બોલું રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી