નર અજ્ઞાની સાંભળને શિખામણ મૂરખ મારી૧/૪

નર અજ્ઞાની સાંભળને શિખામણ મૂરખ મારી
કહું હેત કરી સત્ય માની, અંતરમાં લેજે ધારી નર.||ટેક||
પ્રભુ નવ ભજીયા નર દેહ ધરી, આણી ખોટામાં પ્રતીત ખરી,
તું મહા દુઃખ પામીશ મૂઢ મરી. નર.૧
સુત નારી કુટુંબી જે કહાવે , તે તારા ભેળા નવ આવે,
તોય મૂરખ તારે મન ભાવે. નર.૨
તું ઘર દોલત સાચા જાણી, તેમાં બંધાણો અતિશે પ્રાણી,
માટે નવ ઓળખ્યા સારંગપાણી નર.૩
તારું ધન જોબન સર્વે કાચું, જમ લઇ જાશે કચરી ડાચું,
કહે મંજુકેશાનંદ સાચું. નર.૪

મૂળ પદ

નર અજ્ઞાની સાંભળને શિખામણ મૂરખ મારી

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
સારંગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0