મનવા હરિના ગુણ ગાઇ લે મનવા હરિના ગુણ ગાઇ લે ૧/૧

  
મનવા...હરિના ગુણ ગાઈ લે (૨)
		હરિના ગુણ ગાઈ લે (૨) મનવા૦ ટેક.
પલ પલ તારું, મૂરખ મનવા, આયુષ્ય ઓછું થાય છે (૨)
દિવસો માસ ને, વર્ષો ગયા, હરિવર ક્યા ભજાય છે (૨)
	સમજી ચેતી આ અવસરે,
		સત્સંગ ગંગા નાહી લે...મનવા૦ ૧
દેહ ને દૈહિક સર્વે પદારથ, એક દિ ધૂળ થાય છે (૨)
આતમ કેરો કરી લે ઉદ્ધાર, વાણલા વહી જાય છે (૨)
	સત્સંગ થાળી પીરસી પડી છે,
		ભક્તિ ભોજન ખાઈ લે...મનવા૦ ૨
પંચ વિષયથી પાછો વળી જા, તેથી શું સુખ થાય છે (૨)
મોહના માર્યા તેમા પડીને, લાખો લોક પસ્તાય છે (૨)
	જ્ઞાનજીવન હવે સમજી જાને,
		ચિત્ત શ્રીજીમાં પ્રોઈ લે...મનવા૦ ૩
 

મૂળ પદ

મનવા હરિના ગુણ ગાઇ લે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મનવા
Studio
Audio
0
0