કોને વાલમ ક્યા જઇએ ચરણ તજી, કોને વાલમ કયાં જઇએ, ૪/૨૩

પદ ૪/૨૩ ૪૫૬
 
કોને વાલમ ક્યા જઇએ ચરણ તજી, કોને વાલમ કયાં જઇએ,કયાં જઇ સુખીયા થઇએ.  ટેક.
મનમોહન તમ સંગ મન માન્યું રે, કહો ઘરમાં કેમ રહીએ.  ચરણ ૧
શૂર તણી પેરે સન્મુખ ચાલ્યા રે, પાછા તે પગ કેમ દઇએ.  ચરણ ર
સર્વાતીત સરવનાં સ્વામી રે, કહો કેમ પર નર કહીએ.  ચરણ ૩
કાંતો પ્રાણ તજીશું પ્રીતમ રે, નહીં તો મહાસુખ લઇએ.  ચરણ ૪
મુક્તાનંદ કહે મોહન સંગે રે, વિરહનુ તે દુઃખ કેમ સહીએ.  ચરણ પ

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી