ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;૧/૧૦

ધીર ધુરંધરા શૂર સાચા ખરા, મરણનો ભય મનમાં ન આણે;
	અર્વ ખર્વ દળ એક સામા ફરે, તૃણને તુલ્ય તેનેય જાણે		-૧
મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે;
	કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા, એ દળ દેખતાં સર્વ ભાગે		-૨
કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે;
	જોગિયા જંગમ તપસ્વી ત્યાગી ઘણા, મોરચે ગયે ધર્મદ્વાર માગે		-૩
એવા અરિ સૈન્ય શું અડીખમ આથડે, ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે;
	મુક્તાનંદ મોહ ફોજ માર્યા પછી, અટળ સુખ અખંડ પદ રાજ માણે	-૪
 

મૂળ પદ

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

મળતા રાગ

સિંધુડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

આશ્રમ ભજનાવલિ
Live
Audio
0
0