ગુણસાગર શ્રીગિરિધારી, હું છું અબળા દાસી તમારી૩/૪

પદ ૩/૪ ૧૧૮૩
 
ગુણસાગર શ્રીગિરિધારી, હું છું અબળા દાસી તમારી. 
મારે તમને જોયા વિના વાલા, પળ કલ્પ તુલ્ય નંદલાલા. 
વણ દીઠે તે પળ ન રેવાય, ખાલી મંદિર ખાવાને ધાય. 
વાલા રૂપ તમારે હું મોઇ, બીજું દીઠું ગમે નહિ કોઇ. 
મુક્તાનંદના શ્યામ સુહાગી, મારે તમસું અચળ લે લાગી. 

મૂળ પદ

રસિયાવર કુંજવિહારી, હું તો વાલમ તમ પર વારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી